પક્ષીઓની લુપ્ત થતી પ્રજાતિઓ. 🏹
પક્ષીઓની લુપ્ત થતી પ્રજાતિઓ. 🏹 આજે મારા ઘર ના સામે રસ્તા પર એક પક્ષી નું જોડું બેહોશ હાલત માં મળ્યું જેમાં નર ચકલીનું મૃત્યુ થયું હતું. અને માદા પક્ષી ચકલી બેહોશ હાલત માં હતી જેને ઘરે લઈ જઈ પાણી પીવડાવતા હોશ આવ્યો હતો. અને એને જીવન દાન થયું , પણ વિચારવાની વાત એ હતી એમને કોઈ ઘા ન થયા છતાં એ ચકલીઓ ની હાલત એમ કેમ થઇ . જરા વીચારીયે એના એમની આ હાલત માટે ક્યા પરિબળો જવાબદાર હશે. વૃક્ષોની આડેધડ કાપણી, આધુનિક, શહેરીકરણ અને સતત વધી રહેલા પ્રદૂષણને કારણે સ્પેરો (ચકલી) પક્ષી લુપ્ત થવાના આરે પહોંચી ગયું છે. એક સમય હતો જ્યારે ચકલીઓનો કિલકિલાટ લોકોને ઊંઘમાંથી જગાડતો હતો, પરંતુ હવે એવું નથી. તે એક પક્ષી છે જે મનુષ્યની આસપાસ રહેવાનું પસંદ કરે છે. સ્પેરોની સંખ્યામાં સતત ઘટાડો એ ચેતવણી છે કે પ્રદૂષણ અને કિરણોત્સર્ગ પ્રકૃતિ, વાતાવરણ માં પરિવર્તન (climate change) તેઓને અસર કરી રહ્યા છે. અને એમનો વિનાશ થઈ રહ્યો છે. દર વર્ષે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં સ્પેરો ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારત અને સમગ્ર વિશ્વમાં સ્પેરો (ચકલી) ...