પક્ષીઓની લુપ્ત થતી પ્રજાતિઓ. 🏹

પક્ષીઓની લુપ્ત થતી પ્રજાતિઓ. 🏹

આજે મારા ઘર ના સામે રસ્તા  પર એક પક્ષી નું જોડું  બેહોશ હાલત માં મળ્યું જેમાં નર ચકલીનું મૃત્યુ થયું હતું. અને માદા પક્ષી ચકલી બેહોશ હાલત માં હતી જેને ઘરે લઈ જઈ પાણી પીવડાવતા હોશ આવ્યો હતો. અને એને જીવન દાન થયું , પણ વિચારવાની વાત એ હતી એમને કોઈ ઘા ન થયા છતાં એ ચકલીઓ ની હાલત એમ કેમ થઇ . જરા વીચારીયે એના એમની આ હાલત માટે ક્યા પરિબળો જવાબદાર હશે. 



       વૃક્ષોની આડેધડ કાપણી, આધુનિક, શહેરીકરણ અને સતત વધી રહેલા પ્રદૂષણને કારણે સ્પેરો (ચકલી) પક્ષી લુપ્ત થવાના આરે પહોંચી ગયું છે. એક સમય હતો જ્યારે ચકલીઓનો કિલકિલાટ લોકોને ઊંઘમાંથી જગાડતો હતો, પરંતુ હવે એવું નથી. તે એક પક્ષી છે જે મનુષ્યની આસપાસ રહેવાનું પસંદ કરે છે. સ્પેરોની સંખ્યામાં સતત ઘટાડો એ ચેતવણી છે કે પ્રદૂષણ અને કિરણોત્સર્ગ પ્રકૃતિ, વાતાવરણ  માં પરિવર્તન (climate change) તેઓને અસર કરી રહ્યા છે. અને એમનો વિનાશ થઈ રહ્યો છે. 

     દર વર્ષે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં સ્પેરો ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારત અને સમગ્ર વિશ્વમાં સ્પેરો (ચકલી) પક્ષીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વ સ્પેરો દિવસની ઉજવણીનો હેતુ લોકોને સ્પેરોના (ચકલી) સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. ચકલી એ પૃથ્વી પરની સૌથી સામાન્ય અને સૌથી જૂની પક્ષી પ્રજાતિઓમાંની એક છે. ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં આ દિવસની ઉજવણી કરવાનું વિચારવું એ ખરેખર ચકલીઓ અને અન્ય અદ્રશ્ય થઈ રહેલા પક્ષીઓના સંરક્ષણ માટે એક પગલું છે. પરતું આ ફક્ત ઊજવણી જ છે. 

     આજે સરકારની કે  લાગતી વળગતી સંસ્થાઓની નીતી હાથીના દાંત જેવી છે. બતાવવાની અલગ અને ચાવવાની અલગ  ખૂબ મોટી મોટી સભાઓ યોજાશે ખૂબ સરસ ભાષણો થશે. પરંતું જમીની સ્થર પર કોઈ પ્રભાવ જોવા નહી મળે, આજે અમારા જિલ્લા માં બેફામ ઔધોગિકરણ થઈ રહ્યું છે, સરેઆમ વૃક્ષોનું નિકંદન થઇ રહ્યુ છે. ખેતી લાયક જમીન ને પૈસા ના જોરે પળવારમાં બીન ખેતીની કરી આપવાંમાં આવે છે જેમાં કેમિકલ યુક્ત ફેક્ટ્રીઓ ગામે ગામ નખાઈ રહી છે. કોઈ ગામ વતી વીરોધ કરવમાં આવે તો ઉપરથી ઓર્ડર છે. એમાં બહું મોટા મોટા નેતાઓનો ભાગ છે એવો જવાબ મળે છે. અને સામાન્ય માણસ નો અવાજ દબાવી દેવામાં આવે છે. અને બીજી બાજુ ખુબ મોટા શિખર સંમેલનો થાઇ છે વિશ્વના મોટા નેતાઓ ભેગા થઈ અને પર્યાવરણ લઈ ચિંતિત થઇ રહ્યાં છે. 

તો શું એ ઢોંગ છે? ... 

https://youtube.com/shorts/DBiCRonpnWU?si=GzPOW3nk81KOC2XQ

GPCB Narendra Modi Climatechange Ministry of Environment


Comments

Popular posts from this blog

स्वामी श्री लीलाशाहजी महाराज का जीवन परिचय .

छत्रपति शिवाजी महाराज की कर्मयोग की दीक्षा .

Know 10 Some Basic Yogasana ( जानिए ऐसे १० योगाशन जो आपके जीवन - संतुलन के लिए अत्यंत आवश्यक हे )